લોકડાઉન: પશ્ચિમ બંગાળમાં ધાર્મિક ભીડને મંજૂરી અને નેતાઓ દ્વારા અનાજ વહેંચવા સામે કેન્દ્રએ વાંધો ઉઠાવ્યો

HM News
2 Min Read

– પશ્ચિમ બંગાળમાં લોકડાઉનની અસર ધીમે-ધીમે ઓછી થઇ રહી છે, મમતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી

દિલ્હી,

દેશમાં કોરોના મહામારી ગંભીર અને ચિંતાજનક રુપ લઇ ચૂકી છે, એવામાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોના કડક પાલનની જવાબદારી ખાસ કરીને રાજ્ય સરકારોની બને છે, પરંતુ તાજેતરમાં લોકડાઉનનુ પૂર્ણરીતે પાલન ન કરાવવા બદલ કેન્દ્ર સરકારે પત્ર લખીને પશ્ચિમ બંગાળની સરકારને ફટકાર લગાવી છે. ગૃહ મંત્રાલયે રાજ્યમાં લોકડાઉનના પાલન ન કરાવવા સામે અને બંગાળમાં બિનજરુરી સામાન સાથે જોડાયેલી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી અને ધાર્મિક કાર્યક્રમો કરવાની મંજૂરી પર વાંધો ઉઠાવ્યો છે. આ સિવાય અધિકારીઓની જગ્યાએ નેતાઓ દ્વારા અનાજ-કરીયાણુ વહેંચવાની વૃત્તિ સામે મંત્રાલયે બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપીને પત્ર લખી જવાબ માંગ્યો છે.

ગૃહ મંત્રાલય મુજબ સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં લોકડાઉનની અસર ધીમે-ધીમે ઓછી થઇ રહી છે. રાજ્ય સરકાર તરફથી છૂટ આપવામાં આવી રહી છે.

લોકડાઉન દરમિયાન પણ અહીંના મુર્શીદાબાદમાં સ્થિત એક મસ્જિદમાં શુક્રવારે નમાજ માટે મોટા પ્રમાણમાં મુસ્લિમ ભેગા થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગૃહ મંત્રાલયે વાંધો ઉઠાવતા રાજ્ય પોલીસ તંત્ર સામે સવાલ કર્યા છે.

કેન્દ્ર સરકારે પત્રમાં અપીલ કરતા સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દે કડક પગલા લેવામાં આવશે અને આ વિશે રાજ્ય સરકારે તાત્કાલિક રિપોર્ટ મંત્રાલયને મોકલવાનો રહેશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *