By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદી- કેન્દ્ર સરકાર – RBI કરોડો ભૂખ્યા કામદારો-શ્રમિકો-પીડીતોને રાહત આપવામાં નિષ્ફળ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > PM મોદી- કેન્દ્ર સરકાર – RBI કરોડો ભૂખ્યા કામદારો-શ્રમિકો-પીડીતોને રાહત આપવામાં નિષ્ફળ
GeneralNational

PM મોદી- કેન્દ્ર સરકાર – RBI કરોડો ભૂખ્યા કામદારો-શ્રમિકો-પીડીતોને રાહત આપવામાં નિષ્ફળ

HM News
Last updated: 18/04/2020 9:27 AM
HM News
5 years ago
Share
SHARE

– ઓલ ઈન્ડીયા ટ્રેડ યુનિયનના મહામંત્રી અમરજીત કૌરે કાઢી ઝાટકણી : આજે પણ કરોડો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે

નવી દિલ્હી,તા. ૧૮ : ઓલ ઈન્ડીયા ટ્રેડ યુનિયન (એઆઈટીયુસી)ના મહામંત્રી અમરજીત કૌરે એક નિવેદનમાં જણાવ્યુ છે કે,વડાપ્રધાને તાજેતરમાં કરેલા દેશવ્યાપી પ્રવચનમાં દેશના કરોડો ભૂખ્યા લોકો અને પીડીત કામદારોને કોઈ રાહત આપવામાં નિષ્ફળ ગયા છે એટલુ જ નહિ ગઈકાલે રીઝર્વ બેન્કે જાહેર કરેલા ૧ લાખ કરોડના પેકેજમાં પણ પીડીત શ્રમિકોના કલ્યાણ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

એક નિવેદનમાં તેમણે જણાવ્યુ છે કે આજે દેશમાં કરોડો લોકડાઉનને કારણે ભૂખ્યા છે અને કામદારો પણ પીડીત છે,ત્યારે વડાપ્રધાન અને રીઝર્વ બેન્ક તેઓને રાહત આપવામાં નિષ્ફળ ગયા છે.તેમણે વધુમાં જણાવ્યુ છે કે વડાપ્રધાને લોકડાઉન અંગે જે પ્રવચન આપ્યુ તે બાબતે તેમણે રાજ્યોના મુખ્યમંત્રીઓ,રાજકીય પક્ષો અને સંસદને વિશ્વાસમાં લીધેલ નહોતા.તેમના પ્રવચનમાં કોરોના મહામારીને જ કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યુ હતુ.સરકાર જાણતી હતી કે એક સાથે લોકડાઉન જાહેર કરવાથી પરપ્રાંતીય મજુરો,વિદ્યાર્થીઓ અને અન્યોને મુશ્કેલી થશે.તેમણે જણાવ્યુ છે કે લોકડાઉનની સૌથી મોટી માઠી અસર કરોડો પર પ્રાંતીય શ્રમિકોને થવા પામી છે.તેઓ આજે પણ પાણી,ખોરાક,દવા અને સ્વાસ્થ્ય સુવિધાથી વંચીત છે અને તેઓ ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યુ છે કે ડીસેમ્બર ૨૦૧૯થી કોરોનાથી પીડીત રાષ્ટ્રો સહિત વિશ્વના અનેક ભાગોમાંથી ૬ લાખ જેટલા લોકો ભારતમાં પ્રવેશ્યા હતા.તેઓનંુ કોઈ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ નહોતુ અને તેમને ૧૪ દિવસ સેલ્ફ કોરન્ટાઈનમાં પણ લઈ જવાયા નહોતા.જેને કારણે મહામારી ફેલાય છે.આજે પણ આપણી વસ્તીને જોતા જે ટેસ્ટ થાય છે તે નહિવત છે.તેમણે નિવેદનમા વધુમાં જણાવ્યુ છે કે,કામકાજના સ્થળે,રહેણાક વિસ્તારોમાં અને બજારોમાં આપણા ફ્રન્ટલાઈન ફાઈટર્સ કહેવાય છે તેના પર જે હુમલા થઈ રહ્યા છે અથવા તો તેનેે પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમને વખોડવાની તસ્દી પણ વડાપ્રધાને લીધી નથી.તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાને પીડીત શ્રમિકોની સુરક્ષા અને તેઓને સ્વાસ્થ્યની સગવડ આપવા માટે કોઈ ખાત્રી આપી નથી.વડાપ્રધાન કંપનીઓને જણાવી રહ્યા છે કે કામદારોને નોકરીમાંથી કાઢી ન મુકવા,પરંતુ આ બાબત અધકચરી ગણાય.તેમની ખાત્રીનો અમલ થાય તે જોવાનું રહ્યું. તેમણે નિવેદનના અંતે જણાવ્યુ છે કે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને જે રાશન આપવામાં આવી રહ્યુ છે તેમા અનેક ખામીઓ જોવા મળી છે. અનેક ગરીબો રાશનથી વંચીત રહી ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

રાજ્યમાં 100 PI બાદ 77 PSIની બદલી , સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પોલીસબેડામાં ધરખમ ફેરફાર
દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક, છેલ્લા બે દિવસમાં 84% કેસ ઓમિક્રોનના નોંધાયા
બળપૂર્વક ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનશે?
મેહુલ ચોક્સીએ ન્યુ યોર્કનો ફ્લેટ પુત્રવધૂના નામે ટ્રાન્સફર કરી દીધોઃ સીબીઆઈ
સુરતમાં દારૂની મહેફિલ માણતા 3 મહિલા સહિત 10 ઝડપાયા,પાર્ટી પ્લોટના માલિકે સાળાની પત્નીનું શ્રીમંત હોવાની પાર્ટી રાખી હતી
Share This Article
Facebook Email Print
Previous Article માસ્ક અને સેનેટાઇઝર વચ્ચે સુરતના નાનપુરામાં થયા ઓનલાઇન લગ્ન
Next Article લોકડાઉનમાં યે મોજ : ઇટાલીમાં લોકોની વાઈન પાર્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up