By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રમઝાનમાં નાગરવાડામાં શહેરી બાદ પોલીસ પર પથ્થરમારો, પકડાયેલા 10થી પાંચ કોરોનાગ્રસ્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > રમઝાનમાં નાગરવાડામાં શહેરી બાદ પોલીસ પર પથ્થરમારો, પકડાયેલા 10થી પાંચ કોરોનાગ્રસ્ત
GeneralVadodara

રમઝાનમાં નાગરવાડામાં શહેરી બાદ પોલીસ પર પથ્થરમારો, પકડાયેલા 10થી પાંચ કોરોનાગ્રસ્ત

HM News
Last updated: 28/04/2020 11:24 AM
HM News
5 years ago
Share
SHARE

– વડોદરાના પંદર વધુ વ્યક્તિઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ : નવા બજારમાં વધુ એક સીત્તેર વર્ષના વૃધ્ધનું થયુ મોત

વડોદરા,

વડોદરાના રેડઝાન નાગરવાડા વિસ્તારમાંથી કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યુ હતુ. રમઝાનમાં શહેરી બાદ નાગરવાડાના કાસમઆલા મસ્જીદ પાસે વળેલા ટોળા વિખેરવા માટે પહોચેલી પોલીસ પર પથ્થરમારો કરતા ઝડપાયેલા દસ પૈકીના પાંચને કોરોના પોઝિટિવ આવ્યો હતો.તેને મળીને કુલ પંદર નવા કોરોનાના કેસ આજે વડોદરામાં નોંધાયા હતી. તેની સાથે વડોદરામાં કોરોનાગ્રસ્તનો આંકડો ૨૬૩ પર પહોચી ગયો હતો.જ્યારે એક નવા બજાર વિસ્તારના કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મોત નીપજ્યુ હતુ.જેના પગલે વડોદરામાં અત્યારસુધી કોરના વાઇરસથી ૧૫ લોકોના મૃત્યુ થયા હતા.
વડોદરાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા બજાર મરાઠી મહોલ્લાના ૭૦ વર્ષીય વ્યક્તિનું કોરોના વાઈરસથી સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.આ નવા બજાર વિસ્તારમાંથી અગાઉ ગરબા ગાયિકાનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયુ હતુ.

દંતેશ્વરમાંથી દર્દીને મોડી રાત્રે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

વડોદરામાં કોરોના પોઝિટવના પંદર નવા કેસ આવ્યા હતા.જેમાં પોલીસ પર પથ્થરમારો કરનારા નાગરવાડાના વિસ્તારના દસ આરોપી પૈકી પાંચ આરોપીના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આમ નાગરવાડા વિસ્તારમાંથી આજે નવ પોઝિટિવ કેસ આવ્યા હતા.જ્યારે વાડી, યાકુતપુરા, મોગલવાડા, દંતેશ્વર તથા નવાબજાર વિસ્તારમાંથી કેસ આવ્યા હતા.તેની સાથે અત્યાર સુધી કોરોના વાઈરસના ૨૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. પથ્થરમારો કરનાર તોફાનીઓની સાથે સંપર્કમાં આવેલ એક પીએસઆઇ સહિત પાંચ પોલીસ મેનને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.કારેલીબાગ અનાવિલ ભવન ખાતે આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રની બ્રાન્ચમાં કોરોનાગ્રસ્ત દર્દીની અવરજવર રહી હોવાનું બહાર આવતાં છ મે સુધી બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત સ્ટાફને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો.

મોદી સરકારની મોટી જાહેરાત : 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે
ડેપ્યુટી કલેક્ટરે યુવતીને કહ્યું મને ખુશ કરી દે, નહી તો આપણી જુની રોમેન્ટિક તસ્વીરોથી હું દુનિયાને ખુશ કરી દઇશ અને…
રેલવે બાદ હવે સરકાર સ્થાનિક ઉડાનો શરૂ કરવાની કરી શકે છે જાહેરાત
શિક્ષણમંત્રીજી,આ લો નકલી ડિગ્રીનો વધુ એક પુરાવો:શ્રીધર યુનિવર્સિટીની 8 નકલી માર્કશીટ દ્વારા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LL.B. કરી ગયો!
વ્યક્તિગત લોકચાહનાના શિખરે બિરાજમાન ઓલપાડ કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક
Share This Article
Facebook Email Print
Previous Article ર૦ લાખનું લાંચ પ્રકરણઃ મનસુખ શાહનું નામ ચાર્જશીટમાં યથાવત રાખવા સુપ્રિમ કોર્ટનો આદેશ
Next Article ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીએ કહ્યું- મુસ્લિમો પાસેથી શાકભાજી ખરીદશો નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up