By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એરપોર્ટ-બંદરો-સ્ટેશનો પર માલ સામાનનો ભરાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એરપોર્ટ-બંદરો-સ્ટેશનો પર માલ સામાનનો ભરાવો
GeneralNational

એરપોર્ટ-બંદરો-સ્ટેશનો પર માલ સામાનનો ભરાવો

HM News
Last updated: 11/04/2020 1:51 PM
HM News
5 years ago
Share
SHARE

– શ્રમિકોની અછત અને પરિવહન સુવિધાના અભાવે કાર્ગો અટકી પડયા : દિલ્હી એરપોર્ટ ઉપર જ ૩૦૦૦ થી ઇલેકટ્રોનિકસ, કન્ઝયુમર ડયુરેબલ સામાન અને વાહનના પાર્ટસ અટકી પડયા છે : જો લોકડાઉન લંબાશે તો કાર્ગો મુવમેન્ટ વધુ ૧૦-૧પ% ઘટશે

નવી દિલ્હી તા. ૧૧ : હવાઇ માર્ગ અને રેલ્વે દ્વારા માલવહન તથા બંદરો પર કાર્ગોની અવર જવર પર લોકડાઉનમાં કોઇ પ્રકારના પ્રતિબંધો નથી પણ મજૂરોની અછત અને પરિવહન સુવિધાઓના અભાવે એરપોર્ટો, બંદરો અને રેલ્વે સ્ટેશનો પર કાર્ગો અટકી પડયા છે.તેમાના માલિકો પોતાનો માલ ત્યાંથી ઉઠાવી નથી શકતા.આ સાથે જ જરૂરી અને બિન જરૂરી સામાન બાબતે અસ્પષ્ટતાના કારણે પણ કાર્ગોને ખાલી કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે.એરપોર્ટો પરથી કાર્ગો ઉઠાવવામાં લાગતી વાર પર લેવાતા ડેમરેજ ચાર્જ માફ કરવા છતાં આયાતકારો તેને ઉપાડવામાં જલ્દબાજી નથી દેખાડતાં.

નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ગયા મહીને માલ ઉપાડવામાં મોડું થાય તો લાગતા ડેમરેજ ને પ૦ ટકા માફ કરવાનો આદેશ આપ્યો હતો જેથી જરૂરી વસ્તુઓનો સપ્લાય સરળ બને.જો કે એકસાઇઝ ડયુટી વિભાગનું માનવુ છે કે આના લીધે આયાતકારો અને દલાલો દ્વારા પોતાની ખેપ ઉઠાવવામાં હતોત્સાહ થયા છે.એટલું જ નહીં બંદરો અને એરપોર્ટો પર કાર્ગોના ઢગલા થઇ ગયા છે.સુત્રોએ કહયું કે દિલ્હી એરપોર્ટ પર લગભગ ૩૦૦૦ ટન ઇલેકટ્રોનિકસ વાહન ઉત્પાદનમાં જરૂરી સ્પેરપાર્ટ તથા કન્ઝયુમર ડયુરેબલ્સ પડયા છે એક અધિકારીએ જણાવ્યા અનુસાર ટર્મીનલો પર મેડીકલ અને જરૂરી વસ્તુઓ સીવાયના બાકી કાર્ગોને નિપટાવવા મોટી સમસ્યા બની ગઇ છે ટ્રકો,ટ્રોલીઓ અને મજુરોની અછતના કારણે પણ આ માલ નથી ઉઠાવી શકાયો.તો ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીઓનૂં કહેવું છે કે દેશમાં ઔદ્યોગીક ઉત્પાદન ઘટવાથી બંદરો પર કાર્ગોની અવર જવરમાં છેલ્લા કેટલાક અઠવાડીયામાં પ૦ થી૬૦ ટકાનો ઘટાડો થયો છે.જો લોકડાઉન વધુ લંબાશે તો કાર્ગોની અવર જવરમાં વધુ ૧૦ થી ૧પ ટકાનો ઘટાડો થઇ શકે છે. આનાથી શીપીંગના ધંધાને અસર થઇ રહી છે એક ખાનગી બંદરના અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કેબંદરો પર મોટાભાગનું કામ માણસો દ્વારા થાય છે. અને મજુરોની અછતથી મૂશ્કેલી થઇ રહી છે.વેઇટીંગ પીરીયડ ચારથી પાંચ દિવસનો થઇ ગયો છે. કોસ્ટલ કાર્ગોની અવર જવરને પણ અસર થઇ છે અને ફકત ૪૦ ટકા જહાજોજ ચાલી રહ્યા છે.

5 હજાર કરોડ રૂપિયાનું દેવું, નાદારીની કાર્યવાહી પરંતુ સમાધાનમાં 500 કરોડ રૂપિયામાં માની ગઈ બેંકો, જાણો શું છે આખો મામલો
ટ્રમ્પ શાસનના આંતરિક રીપોર્ટમાં સનસનીખેજ ખુલાસો જૂનમાં અમેરિકામાં ‘કોરોના બોંબ’ ફૂટશે : રોજ ૩૦૦૦ લોકો મરશે
ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ૧૯ જીઆઈડીસી સક્રિય
ચીન સરહદે વિવાદ ચાલુ જ રાખવા માગે છે : સૈન્ય વડા
ચોંકાવનારો ખુલાસો : ભારતમાં 62 ટકા મહિલા એપ્સનો ઉપયોગ સેક્સ ટેક્સ્ટ મેસેજ કરવા કરે છે
Share This Article
Facebook Email Print
Previous Article ન્યુયોર્કના કબ્રસ્તાનોમાં જગ્યા નથી : હવે સામૂહિક કબરોમાં દફન થઇ રહી છે લાશો : મૃત્યુઆંક ૧૮૦૦૦
Next Article લોકડાઉનના ધજાગરા : ભાજપના ધારાસભ્યે જન્મદિન ઉજવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up