By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદને ઓવરટેક કરશે સુરત : 69 નવા કેસ નોંધાયા : કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > અમદાવાદને ઓવરટેક કરશે સુરત : 69 નવા કેસ નોંધાયા : કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338
GeneralGujarat NowSurat

અમદાવાદને ઓવરટેક કરશે સુરત : 69 નવા કેસ નોંધાયા : કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338

HM News
Last updated: 21/04/2020 8:03 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : અત્યાર સુધી ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે.પણ લાગે છે કે,સુરત શહેર પણ જલ્દી જ આ મામલે અમદાવાદને ઓવરટેક કરી લેશે.આજે પહેલીવાર આંકડા બતાવે છે કે, અમદાવાદ કરતા સુરતમાં કેસનો આંકડો વધુ છે.આજે ગુજરાતમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 50 તો સુરતમાં 69 નવા કેસ નોંધાયા છે.આ નવા કેસ સુરતના લંબે હનુમાન રોડ,ઉધના,સલાબતપુરા,પાંડેસરા,કતારગામ,લાલગેટ, લિંબાયતમાં નોંધાયા છે.છેલ્લા 12 કલાકમાં સુરતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338 પર પહોંચી છે. સુરત શહેરના 325 અને જિલ્લાના 13 દર્દી છે.આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી મૃત્યુનો આંક 11 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ એક શંકાસ્પદનું પણ મોત થયું છે.

ગાંધીનગરનો સૌપ્રથમ દર્દી એક મહિનાની સારવાર બાદ આખરે કોરોનામુક્ત બન્યો

સુરત પોલીસ દ્વારા સેનિટાઇઝિંગ વ્હીકલ વેન શરૂ કરવામાં આવી છે.શહેરના ટ્રાફિક પોઈન્ટ અને કરફ્યૂગ્રસ્ત વિસ્તારમાં સેનિટાઇઝિંગ વ્હીકલ જશે. આ વેન ટીઆરબી અને પોલીસ જવાનોને પણ સેનેટાઈઝ કરશે.સેનિટાઇઝિંગ વ્હીકલ વેનમાં ઇન્વેટરની સુવિધા મૂકાઈ છે.કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ,ટીઆરબીના જવાનો તમામની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.હાલ પ્રથમ વેન શરૂ કરવામાં આવી છે.જેના બાદ તબક્કાવાર અલગ અલગ ઝોનમાં કાર્યરત કરવામાં આવશે.

સરકારની ચિંતામાં ઓર વધારો,ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી

કોરોના સંકટમાં સુરતના મેયર તબીબ બનશે

કોરોના સંકટમાં સુરતના મેયર જગદીશ પટેલ લોકોની મદદ માટે આગળ આવયા છે.સુરતના મેયર હવે તબીબ તરીકે પણ ફરજ બજાવશે.મેયર જગદીશ પટેલ કોરોનાના પોઝિટિવ દર્દીના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરશે.આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં મેનેજમેન્ટનું પણ દેખરેખ કરશે.મેયર જગદીશ પટેલ પોતે એક તબીબ છે.જેથી તેઓ કોરોનાના સંકટમાં રોજના 4 થી 5 કલાક સેવા આપશે.

વલસાડમાં પહેલીવાર એકસાથે 3 કેસની એન્ટ્રી

વલસાડ જિલ્લામાં એક પછી એક ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે.જિલ્લાના ઉમરગામ,ધરમપુરના આસુરા ગામ અને ડુંગરીમાં કોરોના દર્દી મળી આવતા આજુબાજુ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે વલસાડના ધરમપુર અસુરા ગામના યુવાનનું કોરોના કેસમાં મૃત્યુ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારથી ડુંગરી અને આસુરા ગામના આજુબાજુ ગામના લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે.

બળપૂર્વક ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનશે?
સોનિયા ગાંધીએ પૂછપરછ માટે હાજર થવા ઇડી પાસે સમય માંગ્યો
સીબીઆઇએ એનએસઇના પૂર્વ સીઇઓે ચિત્રા રામકૃષ્ણાની પૂછપરછ કરી
સુરતના સિટીલાઈટમાં બે વોચમેન વચ્ચે ગર્લફ્રેન્ડને લઈને મામલો બિચકાયો : એકને પતાવી દેવાયો
સહકારી ક્ષેત્રમાં રાજકારણ:1200 કરોડનું ટ્રાન્ઝેક્શન ધરાવતી ભીલાડવાળા બેંકની ચૂંટણીમાં ભાજપની સિમ્બોલ પર લડવાની જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article વાહ ઈઝરાયલ : દેશહીતમાં શાસક-વિપક્ષે ચૂંટણી ટાળીને દોઢ-દોઢ વર્ષ સત્તાની વહેચણી કરી!
Next Article રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up