By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોક
GeneralInternationalReligious

રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોક

HM News
Last updated: 21/04/2020 8:16 AM
HM News
5 years ago
Share
SHARE

આ વખતે સઉદી અરબના મક્કા અને મદીના સ્થિત બે મોટી મસ્જિદોમાં રમઝાન મહિના દરમિયાન નમાઝ પઢવામાં નહિ આવે.સઉદી પ્રશાસને રમઝાનનો મહિનો શરૂ થતા પહેલા જ તેના પર રોક લગાવી દીધી છે.અરબ ન્યૂઝના જણાવ્યા અનુસાર આ નિર્ણય કોરોના વાયરસ(કોવિડ-19)ના સંક્રમણને ફ્લાતો રોકવા માટે લેવામાં આવ્યો છે.આ મહામારીથી બચાવ માટે મક્કા સ્થિત ગ્રાંડ મસ્જિદ અને મદીના સ્થિત પ્રોફેટ મસ્જિદમા રમઝાન દરમિયાન નમાઝ પઢવા પર રોક લગાવવામાં આવી છે.

આ બંને મસ્જિદોના અધ્યક્ષ જનરલ શેખ ડૉ.અબ્દુલ રહેમાન બિન અબ્દુલ અઝીઝ અલ સુદેસે ટ્વિટ કરીને જણાવ્યુ કે મક્કાની મસ્જિદ અલ-હરામ અને અલ મસ્જિદ અલ-નબાબીમાં રમઝાન દરમિયાન લાઉડ સ્પીકર પર અજાન કરવામાં આવશે પરંતુ આ મસ્જિદોમાં પ્રવેશની અનુમતિ નહિ હોય.માહિતી માટે તમને જણાવી દઈએ કે સઉદી અરબના ગ્રાંડ મુફ્તી શેખ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ્લા અલ શેખે લોકોને અપીલ કરી છે કે આ મહામારીના કારણે આગલા સપ્તાહથી શરૂ થનારા રમઝાનના મહિનામાં તરાવીહની નમાઝ સાથે જ ઈદની નમાઝ પણ ઘરે જ પઢો.જેથી સઉદીમાં વાયરસનુ સંક્રમણ ફેલાતુ રોકી શકાય.

સઉદી સરકારના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 10,484 કેસ સામે આવી ચૂક્યા છે અને 103 લોકોના મોત થયા છે.આ ઉપરાંત 1490 એવા લોકો પણ છે જે રિકવર થઈ ચૂક્યા છે.વળી, અહીં પહેલા જ આંતરરાષ્ટ્રીય ઉડાનોને રોકી દેવામાં આવી છે.આ ઉપરાંત વર્ષભર ચાલતા ઉમરા અને હજને પણ અટકાવી દેવામાં આવ્યુ છે અહીં વાયરસના બચાવ માટે મોટાભાગના સાર્વજનિક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ લવ જેહાદ અને લેન્ડ ડેમોગ્રાફી જેહાદનો મુદ્દો ઉચકાયો : સુરતમાં લાગ્યા પોસ્ટર્સ
બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ રામને ગણાવ્યા કાલ્પનિક ચરિત્ર, કહ્યું- વાલ્મિકી તેમના કરતાં હજાર ગણા મોટા
AAP+PAASનું સમીકરણ આ 4 જિલ્લા પંચાયત, 34 તાલુકા પંચાયત અને 11 નગરપાલિકામાં ભાજપને ફેલ કરશે ? સૌરાષ્ટ્રથી સુરત સુધી મચી છે રાજકીય ચહલપહલ..
ગાંધીધામમાં સેન્ટ્રલ GSTના સુપ્રીટેન્ડેન્ટ નરેશ મહેશ્વરી 1 લાખની લાંચ લેતા ઝડપાયા
ભાજપનું ”આપકારણ” : ભાજપના પૂર્વ નેતા નરોત્તમ પટેલ અને કપડવંજના અપક્ષ કોર્પોરેટર ‘આપ’ માં જોડાયા
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદને ઓવરટેક કરશે સુરત : 69 નવા કેસ નોંધાયા : કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338
Next Article જમાતીઓને મસ્જિદમાં છુપાવનાર પ્રોફેસર સહિત 30ની ધરપકડ, 16 વિદેશી નાગરિક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up